Thursday, April 26, 2007

ભાણસાહેબ
રવિ- ભાણ સંપ્રદાયના આધ્ય પુરુષ. , કબીર પંથી સંત કવિ
જન્મ : ઇ.સ. 1698 , લોહાણા જ્ઞાતિમાં
જન્મ વતન: કનખિલોડ (ચરોતર પ્રદેશ)
માતા: અંબાબાઇ
પિતા: કલ્યાણજી ઠક્કર
ગુરુનું નામ : ષષ્ટમદાસજી ( દૂધરેન )
પુત્રનું નામ : ખીમ સાહેબ
શિષ્ય : રવિસાહેબ
અવસાન : કમીજડા ગામે ઇ.સ. 1755
રચના અને સર્જન : તત્વજ્ઞાન વાળાં ભજનો
ચમત્કારો અને પ્રસંગો


રવિસાહેબ
રવિ-ભાણ સંપ્રદાયના સ્થાપક , કબીર પંથી સંત કવિ
જન્મ : ઇ.સ. 1727 , વિસા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં
જન્મ વતન: તણછા ( જિ. ભરુચ )
માતા: ઇચ્છાબાઇ
પિતા: મંછારામ
ગુરુનું નામ : ભાણ સાહેબ
દિક્ષા : ઇ.સ. 1753 માં ભાણ સાહેબ પાસેથી દિક્ષા લઇ તેમને ગુરુ કર્યા.
શિષ્યો: મોરાર , ગંગ , દયાળ , લાલ વગેરે 19 જેટલા તેજસ્વી શિષ્યો
અવસાન : ઇ.સ. 1804 માં રતનદાસની જગ્યા વાંકાનેર ખાતે અવસાન
સમાધિ : મોરારસાહેબના ખંભાલીડા ગામે
રચના અને સર્જન : રામકબીર સંપ્રદાયની સાધના અને સિધ્ધાંતો પ્રમાણે યોગસાધના અને તત્વજ્ઞાન વાળાં ભજનો તથા વૈરાગ્ય, ગ્યાન , બોધ-ઉપદેશ ગુરુમહિમા અને ભક્તિશ્રુંગાર આલેખતા હિન્દી, ગુજરાતીમાં અનેક ભજનો, આધ્યાત્મિક અનુભૂતિના મર્મપુર્ણ આલેખન , ભાણગીતા, મનસંયમ બારમાસી, ભોધચિંતામણિ રામગુંજા રચિંતામણિ, ખીમ-રવિ પ્રશ્નોત્તરી , આ ઉપરાંત આરતી કટારી, પદ રેખતા, હોરી, છ્પ્પા અને સાખી જેવું વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન
ચમત્કારો અને પ્રસંગો


ખીમ સાહેબ
રવિ- ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ સંપ્રદાયના આધ્ય પુરુષ ભાણ સાહેબના પુત્ર
અને રવિસાહેબના શિષ્ય
જન્મ : ઇ.સ. 1734, લોહાણા જ્ઞાતિમાં
જન્મ વતન : વારાહી ( તા. સાંતલપુર જિ. બનાસકાંઠા)
માતા: ભાણબાઇ
પિતા: ભાણસાહેબ
ગુરુનું નામ : રવિ સાહેબ
શિષ્યો: ત્રિકમસાહેબ, ભીમસાહેબ, દાસીજીવણ
સમાધિ : રાપર (જિ. કચ્છ ) ઇ.સ. 1801 માં જીવતા સમાધિ લીધી.
રચના અને સર્જન: તેમેણે હિન્દી, ગુજરાતી, અને કચ્છી બોલીમાં અનેક ભજનો તથા 'ચિંતામણી" જેવી દીર્ઘ રચનાઓ
ખીમ સાહેબને આ સંપ્રદાયના અનુયાયીઓ 'ખલક દરિયા ખીમ' કે દરિયાપીર તરીકે ઓળખે છે. એમના જીવન વિષે અનેક ચમત્કારો આલેખાયેલા છે. હરિજન જાતિના ત્રિકમ સાહેબને તેમણે દિક્ષા આપેલી. એમણે રવિ- ભાણ સંપ્રદાયના વાડીના સાધુઓની તેજસ્વી સંત કવિઓની આખી પરંપરાના બીજ રોપ્યા હતાં. જેમાંથી જેવા સંત રત્નોએ તો અનેક ચમત્કારો સર્જ્યા. ઇ.સ. 1781 માં રાપર (જિ. કચ્છ ) ખીમસાહેબે જગ્યા બાંધી.
ચમત્કારો અને પ્રસંગો


ત્રિકમસાહેબ
રવિ- ભાણ સંપ્રદાયના તેજસ્વી અને ચમત્કારી સંત કવિ
જન્મ : ઇ.સ. ,હરિજન ગરોડા જ્ઞાતિમાં
જન્મ વતન : રામવાવ (તા. રાપર જિ. કચ્છ)
માતા :
પિતા :
ગુરુનું નામ : ખીમસાહેબ
શિષ્યો : ભીમસાહેબ ( આમરણ ) નથુરામ ( રાધનમુર)
જગ્યા : કચ્છના વાગડ વિસ્તાર માં ચિત્રોડ ગામે ગાદીની સ્થાપના કરી.
સમાધિ : રાપર ગામે
રચના અને સર્જન : હિન્દી,ગુજરાતીમાં લખાયેલી એમની ભજનવાણી ઉપર કબીરસાહેબની વાણીનો વ્યાપક પ્રભાવ પડ્યો છે. એમાં આધ્યાત્મિક ઉન્માદની લહેરો વ્યક્ત થઇ છે.
ત્રિકમસાહેબના આગમનથી આ સંપ્રદાય માં હરિજનોને સ્થાન મળ્યું. અને આગળ જતાં ઘણાં હરિજન સંત- ભક્ત અને કવિઓની સમ્રુદ્ધ પરંપરા પ્રાપ્ત થઇ.
ચમત્કારો અને પ્રસંગો

1 comment:

સુરેશ જાની said...

તમે આવી સરસ રીતે પરિચય આપ્યો તે ગમ્યું. ગુજરાત સારસ્વત પરિચય પર 250 થી ઉપર પરિચયો આપેલ છે, તે જોશો.
http://sureshbjani.wordpress.com/